બ્યુરો રિપોર્ટ. વલસાડ સીમા ભટ્ટાચાર્ય
છાયડો પેથોલોજી લેબોરેટરીના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ડો.નીરવ પટેલ અને તેમની ટીમ ને ઠેર ઠેર થી શુભેચ્છઓ મળી રહી છે. ખેરગામના પીએસઆઇ શ્રીમતી શકુંતલાબેન ના હસ્તે નવસારીના એસપી ઉપાધ્યાય સાહેબના તરફથી છાયડો પેથોલોજી લેબોરેટરીની સુંદર કામગીરી અને કર્તવ્ય નિષ્ઠાના કદરરૂપે મીઠાઈના બોક્સ અભિનંદન સ્વરૂપે મોકલેલ અને એસ પી ઉપાધ્યાય સાહેબે વ્યસ્ત કાર્યક્રમના કારણે રૂબરૂ શુભેરછા આપવા આવી ન શકતા ડો.નીરવ પટેલ તેમજ લેબ ના સ્ટાફ ને શુભ આશિષ પાઠવ્યા હતા. સાથો સાથ અનેક મહાનુભાવો ઓ દ્વારા શુભેચ્છકોની લાગણીશીલ શુભેચ્છાઓથી આજનો દિવસ ખુશીઓથી મઘમઘી ઉઠ્યો એવું ડોક્ટર નીરવ પટેલ ની યાદી માં જણાવ્યું છે.



