
ઉના શહેર/તાલુકા ઉપક્રમે યુવા મોરચા મંડળની કારોબારી યોજાય જીલ્લા પ્રમુખ શ્રી માનસિંગ પરમારના સૂચનાથી અને જીલ્લા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ઓઝા,પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના નગરપાલિકા ભવન ખાતે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલ હતી જેમાં મોરબીના વતની યુવા મોરચા જીલ્લા પ્રભારી સુખદેવભાઈ દલવાનિયા,જીલ્લા મહામંત્રી અમિતભાઈ નંદાનીયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉના શહેર યુવા પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા મહામંત્રી હનુભાઈ ગોહિલ, બકસીપંચ પ્રમુખ અશ્વિનભાઈ ડાભી અને મોરચા સંગઠન હોદેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં સરકારશ્રી ના આઠ વર્ષ સુશાસન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે આવનારા કાર્યક્રમ,યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શહેરના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય માર્ગો પર નગરજનો વચ્ચે યોજનાના પ્લેકાર્ડ સાથે યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

