




કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં હર ઘર અભિયાનને જિલ્લામાં સફળ બનાવવા અને લોકો આ અભિયાનમાં જોડાય એ માટે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જિલ્લામાં તા.૧૩ થી તા. ૧૫ ઓગસ્ટના હરઘર ત્રિરંગા યાત્રા અંતર્ગત ૧૨ મી ઓગસ્ટે બાઇક રેલી યોજાશે. આ બાઇક રેલી બપોરના ૩ વાગે થી ૫ વાંગ્યા સુધી યોજાશે. આ રેલી કેન્દ્રીય વિધાલયથી નીકળી દાહોદ શહેરમાં ફરી કલેકટર કચેરી ખાતે સમાપન કરવામાં આવશે. આ રેલીમાં ઓછામાં ઓછા ૩૦૦૦ હજાર લોકો જોડાશે. આ રેલીમાં દાહોદ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય એ માટેનું આયોજન કરાયું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર, ડીઆરડીએ નિયામકશ્રી સહીતના અધિકારીશ્રીઓ તેમજ વિવિધ સમુદાય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
