

જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબની સુચના અન્વયે શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ મેળા માં ફૂડ શાખા સતત ચેકિંગ કરી શહેરી જનોને હાયજેનીક ફૂડ તેમજ પાણી મળે તે અંગે ની તકેદારી રાખવા કામગીરી કરવામાં આવેલ જેમાં, જન્માષ્ટમી સુધીમાં ઇન્સ્પેકશન દરમ્યાન કુલ ૧૩૦ કિલો વાી બટેટા, બાફેલા ચણા, રગડો, બાફેલી દાળ, પાણીપુરી નું પાણી, વગેરે ખાદ્ય પદાર્થ અનયજેનીક જણાતા સ્થળ પર જે.એમ.સી ના ટીપર વેન માં ડીસ્ટ્રકશન ની કામગીરી કરવામાં આવેલ છે.

તેમજ શ્રાવણી મેળા દરમ્યાન ખાદ્ય સ્ટોલ/રેકડી વગેરે જગ્યા યે સ્થળ પર તપાસણી કરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટા. એક્ટ હેઠળ હંગામી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન આપવાની કામગીરી કરવામાં આવેલ જેમાં, કુલ ૬૫ વિક્રેતાઓ ને સ્થળ પર હંગામી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન આપવામાં આવેલ અને કુલ ૬૫૦૦ રૂપિયા ફિ ની વસુલાત કરવામાં આવેલ છે.
તેમજ શહેર માં ગોકુલનગર વિસ્તાર માં આવેલ મીઠાઈ કરમાણે ની પેશીઓ માં તપાસ દરમ્યાન કુલ ૮ પેઢીઓ માં તેલ, ખાદ્ય રો મટીરીયલ્સ તેમજ તૈયાર મીઠાઇ, ફરસાણ ની તપાસ દરમ્યાન ૨૫ કિલો જેટલું ખાદ્ય તેલ બાયો ડીઝલ જણાતા સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ અને ૧૦ કિલો ખૂલ્લું તેમજ નબળું જણાતા ફરસાણ નો નાશ કરવામાં આવેલ. ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા એ જણાવ્યુ છે

