
ટિચર્સ ડે નિમિત્તે દેશના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના શિક્ષક શ્રી ઉમેશ ભરતભાઈ વાળાનો પણ સમાવેશ થાય છે. દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની જન્મજયંતી પર અપાતો આ એવોર્ડ દેશના એવા શિક્ષકોને અપાય છે કે જેઓ ભારે પરિશ્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની ઉજાસ પાથરે છે.
રાજ્યના રાજકોટની સેન્ટ મેરી સ્કૂલના શિક્ષક શ્રી ઉમેશ ભરતભાઈ વાળા એક નોંધપાત્ર શિક્ષક છે અને તેમનામાં ઘણી બધી વસ્તુઓનું સંયોજન છે જે તેમને એક આદર્શ શિક્ષક બનાવે છે – સામાજિક કાર્ય માટે સમયની પાબંદી, સખત મહેનત, કાળજી અને વિશાળ પ્રતિબદ્ધતા જેવા આગવા ગુણ છે. તેઓ સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયોમાં SCERT અને NCERT માટે પેનલિસ્ટ છે. ગુજરાતીમાં, જે તેઓ શીખવે છે તેમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષાઓમાં પરિણામ સો ટકા છે. તેઓ ગ્રામીણ બાળકો માટે નિયમિત શિબિરોનું આયોજન કરે છે. તેમની ઉત્કૃષ્ટ સામાજિક પ્રતિબદ્ધતા એ રીતે જોવા મળે છે કે તેઓ ઝૂંપડપટ્ટી અને શેરીના બાળકોને તેમના પોતાના સ્થાને શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમણે છેલ્લા સાત વર્ષથી એક પણ દિવસની રજા લીધી નથી
