
ગ્રામજનોનો સધિયારો સાથથી બંજર હાલતમાં મુક્તિધામ હતું , જેમાં વૃક્ષારોપણ ,નાનું-મોટુ સમારકામ પૂર્ણ કરી ભગવાન ભોલેનાથની પ્રતિમા સ્થાપિત કરી એક નવચેતના ઉર્જા જાગ્રત કરી વિકાસને પરિણામલક્ષી માં ભાવ ભળતાં એક સુંદર અનુસૂચિત જાતિનું અંતિમધામ બન્યું છે. સ્મશાને જતાં વ્યક્તિને પણ સાચા અર્થમાં મુક્તિ મળે તેવો સ્વર્ગમાં જવાનો ભાસ થશે. રમણીય ધામ બનાવનાર ગામના તમામ યુવાનો ગ્રામજનોના સકારાત્મક પ્રયાસોને એક દિશા મળી છે.

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં બાળકોને અભ્યાસમાં આગળ વધે તે માટે આગેવાનો દ્વારા પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા.
સ્મશાન ભૂમિમાં મહિલા ના જઇ શકે તે ડર દૂર કરવા માટે ચા-નાસ્તો તેમજ પ્રસાદ કૈલાસધામમાં આરોગી ગ્રામજનોમાં રહેલ ડર દૂર કરવાનો એક અંઘશ્રધ્ધા નિવારણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો.

આ પ્રસંગે આ પ્રસંગે વિજાપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી વિજયભાઈ તથા શ્રી હિતેન્દ્રસિંહ પરમાર તથા શ્રી બળદેવભાઈ પટેલ -જંત્રાલ તાલુકા સદસ્ય તથા રણાસણ ગામના ત્રણ માજી સરપંચ એવા શ્રી કાંતિભાઈ પટેલ શ્રી દિપકભાઈ પટેલ અને શ્રી પ્રહલાદભાઈ તથા ગામના આંબેડકર વિદ્યાર્થી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ સ્મશાનભૂમિ કમિટી વતી શ્રી ભાનુભાઇ પરમાર જણાવે છે.

