
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામના હર્ષિલકુમાર ઠાકોરભાઇ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં
ગાઇડ ડૉ. બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી અન્નખેડ સત્યાગ્રહ મહાનિબંધ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હર્ષિલકુમાર હાલમાં ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉચ્ચ
હોદ્દો ધરાવતા હોવા છતાં અથાગ મહેનત કરી ડૉકટરેટની ડિગ્રી મેળવી આજના યુવા માટે પ્રેરણારૂપ બન્યા
છે. તેઓએ ગામ, પરિવાર અને સમાજનું નામ રોશન કર્યુ છે.

