બારડોલી તાલુકાના ૨૫ સફાઇ કામદારો દ્વારા ૨.૫ મેટ્રિક ટન કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો

રિપોર્ટ, મયુર પટેલ
આગામી બે મહિના સુધી રાજ્યભરમાં ચાલનારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સક્રિય જનભાગીદારી નોંધાવવા બારડોલી તાલુકા ખાતે ૨૫ સફાઇ કામદારોએ વિવિધ સ્થળોએ સફાઇ કાર્ય હાથ ધરાયું હતું. જેમાં તેમણે ૨.૫ મેટ્રિક ટન જેટલો સૂકો કચરો ભેગો કરી તેના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરી હતી. અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને લંબાવાયો છે. ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન થકી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને સ્માર્ટ સિટીને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM