
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત માતૃભૂમિની માટીને નમન અને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોને વંદન કરવાની ભાવના સાથે આ અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી સમગ્ર દેશની સાથે માણસા તાલુકા કક્ષાએ ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી.





આ ‘અમૃત કળશ’ યાત્રા થકી એકત્ર કરવામાં આવેલ માટીના કળશને જિલ્લા કક્ષાએ લાવવામાં આવ્યા હતા. આ તમામ કળશને રાજ્યકક્ષાએ પહોંચાડવા માટે સાથે માણસા તાલુકા ખાતે યોજાયેલ ‘અમૃત કળશ યાત્રા’ ને માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલે માણસા તાલુકા ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
