ગુજરાત સરકારના “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ” ના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાથે અનુસુચિત જાતિ ના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે પડતી મુશ્કેલીઓ બાબતે તથા આ કોરોનાની મહામારીને લીધે વિવિધ એમ્બેસીઓમાં વિઝા પ્રક્રિયા બંધ હોઈ “ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના” ની ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા નાબુદ કરવા માટે તથા સમાજની વિવિધ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી અને લેખિત રજૂઆત કરવામાં આવી. આ રજુઆતનો તુર્તજ હકારાત્મક પ્રતિભાવ આપી માનનીય મંત્રી શ્રી દ્વારા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ (IAS) ને બોલાવી આ રજુઆત પરત્વે વિભાગ દ્વારા કાર્યવાહી થાય તે બાબતની સૂચનાઓ આપેલ હતી. આ પ્રતિનિધિ મંડળ માં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા, પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ અને શ્રી ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ મંત્રી શ્રીઓ શ્રી નરેન્દ્ર પરનાર અને શ્રી નિલેશ આચાર્ય સહિતના આગેવાનો જોડાયેલ હતા.
રિપોર્ટ- રાકેશ ક્ષત્રિય-અમદાવાદ



