પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જયંતી નિમિત્તે વંદન કર્યા. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. હું સન્માનીય બાપુને ગાંધી જયંતી નિમિત્તે નમન કરૂં છું. તેમના ઉમદા સિદ્ધાંતો આજે વૈશ્વિક સ્તરે પ્રાસંગિક છે અને લાખો કરોડો લોકોને તાકાત આપે છે.”


