પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “હું વાલ્મીકી જયંતીના વિશેષ પ્રસંગે મહર્ષિ વાલ્મીકીને આદરપૂર્વક નમન કરું છું. આપણે આપણા સમૃદ્ધ ભૂતકાળ અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિને આગળ વધારવામાં તેમનું મહત્વનું યોગદાન યાદ કરીએ છીએ. સામાજિક સશકતીકરણ પર તેમનો ભાર આપણને પ્રેરણા આપતો રહેશે.”




