એકભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જામનગર જિલ્લામા શેરી નાટકો યોજાયા

જામનગર ( ભરત ભોગાયતા)

“એક ભારત, શ્રેષ્ઠ ભારત” ભારત સરકારના રિજનલ આઉટરિચ બ્યુરો(સોંગ એન્ડ ડ્રામા યુનિટ)ની રજીસ્ટર સંસ્થા જવનીકા આર્ટ ફાઉન્ડેશન-ગાંધીનગર તરફથી સરકારશ્રીના *આઝાદીના અમૃત મહોત્સવ* અંતર્ગત જામનગર જિલ્લાના નાઘેડી, મોખાણા, આમરા, મોરકંડા, ઠેબા, હાપા જેવા ગામોમાં શેરીનાટકોના ભવ્ય કાર્યક્રમોનું આયોજન ભારત સરકાર તરફથી યોજાયું, જેમાં *એક ભારત શ્રેષ્ઠ ભારત* ની વિસ્તૃત માહિતી આપવામાં આવી. જવનીકા આર્ટ ફાઉન્ડેશનના લીડર શ્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે શેરીનાટક એ એક લાઈવ માધ્યમ હોઈ ખુબજ અસરકારક માધ્યમ સાબિત થયું છે. સરકારશ્રીની જુદી જુદી યીજનાઓની માહિતી અસરકારક રીતે આ માધ્યમથી પહોંચાડી શકાય છે. જેના માટે સરકારશ્રી ના સોન્ગ એન્ડ ડ્રામા યુનિટના ઉત્તમ અને રજીસ્ટર્ડ કલાકારો ખૂબ જ છે. સરકારશ્રી આ જુદી જુદી કલાઓના માધ્યમથી ઘણી બધી યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડીને લોક જાગૃતિનું ઉત્તમ કાર્ય કરી શકે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM