આપણા યશસ્વી,લોકલાડીલા,અને આપણા પનોતા પુત્ર એવા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના વતન વડનગર માં સંવિધાન યાત્રા નું સમાપન કાર્યક્રમ માં ઉપસ્થિત પેજ પ્રમુખ ના પ્રણેતા, ગુજરાત પ્રદેશભાજપ અધ્યક્ષ શ્રી C R પાટીલ સાહેબ ની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ,મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ સાહેબ પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી એમ.એસ.પટેલ સાહેબ,પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ ચૌધરી સાહેબ,મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ સાહેબ,મહામંત્રી શ્રી શૈલેષભાઇ પટેલ સાહેબ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર તથા ગુજરાત પ્રદેશ અનુ.જાતી. મોરચા ના પ્રમુખ શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ, મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ,વિક્રમભાઈ ચૌહાણ સાહેબ,ઉપાધ્યક્ષ અને જિલ્લા મોરચાના પ્રભારી શ્રીમતી અનિતાબેન પરમાર,મહેસાણા જિલ્લા અનુ.જાતી. મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમાર,મહામંત્રી જગદીશભાઈ શ્રીમાળી,અને કૃણાલભાઈ સુતરિયા તથા મોરચાના જિલ્લા ના હોદેદારો, તાલુકા અને શહેર ના હોદેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
આ સંવિધાન યાત્રા માં જિલ્લા યુવા મોરચા દ્વારા બાઇક રેલી સાથે રહી વડનગર હાડકેશ્વર મહાદેવ મંદિર માં પ્રવેશ કરી દર્શન કર્યા
પ્રદેશ અધ્યક્ષ શ્રી C R પાટીલ સાહેબ સંવિધાન યાત્રા નું પૂજન કર્યું અને યાત્રા દરમિયાન વડનગર રેલવે સ્ટેશન માં જ્યાં આપણા યશસ્વી અને આપણા લોકલાડીલા વડાપ્રધાન ના વતન વડનગર રેલવે સ્ટેશન માં ચા પે ચર્ચા કર્યા બાદ યાત્રા આગળ નીકળી રોહિતવાસ ફુલહાર અને ઢોલ નગારા સાથે પાટીલ સાહેબ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાંથી બુદ્ધ ભગવાન ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ અર્પી અને ત્યાં વિવિધ સમાજો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું ત્યાંથી તાના રીરી માં યાત્રા સભા મંડપ માં પહોંચી
તાના રીરી માં જિલ્લા ટીમ પ્રદેશ મોરચાની ટીમ અને મહેસાણા જિલ્લા મોરચાની ટીમ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી નું ફુલહાર અને મોમેન્ટો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વડનગર માં શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી,જિલ્લા મંત્રી મહેશભાઈ પટેલ,સુનિલભાઈ મહેતા અને નગરપાલિકા પ્રમુખ અને તાલુકા અને શહેર ના હોદેદારો સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ માં પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા,પૂર્વ નિગમ ના ચેરમેન રમેશભાઈ સોલંકી, પૂર્વ ચેરમેન અતિપછાત નિગમ પ્રવીણભાઈ પંડ્યા,પ્રદેશ કારોબારી સભ્ય દર્શનભાઈ જોલી,કિરીટભાઈ પરમાર,રાજુભાઇ પાલડીયા,વડનગર શહેર મોરચા ના પ્રમુખ રવિભાઈ મકવાણા આ સર્વે આગેવાનો કાર્યક્રમ ને સફળ બનાવવા ,સહયોગ આપ્યો હતો
સભા મંડપ માં સૌ મહેમાનો દ્વારા પ્રથમ દીપ પ્રાગટ્ય કર્યું હતું ત્યાર બાદ
સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ જશુભાઈ એ કર્યું હતું અને આભાર દર્શન જિલ્લા મોરચાના પ્રમુખ ઉજમભાઈએ કર્યું હતું.
કાર્યક્રમ નું સંચાલન જગદીશભાઈ શ્રીમાળી અને ચંદ્રકાન્ત રાવતે કર્યું હતું અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જિલ્લા મોરચાની ટીમે ભારે જહેમત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
જિલ્લા અને તાલુકા અને શહેર ના હોદેદારો કાર્યકરો વેપારી મંડળ,મહેસાણા બાર એસોસિએશન,વિવિધ સમાજો દ્વારા ફુલહાર અને મોમેન્ટો દ્વારા પ્રદેશ અઘ્યક્ષક જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સફળતા માટે પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રદ્યુમ્ન વાજા સાહેબે જિલ્લા મોરચાની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.



