ગુજરાત પ્રદેશ અનુ.જાતી. મોરચા ની સૂચના અનુસાર આજે આદર્શ નિવાસી શાળા ની મુલાકાત પ્રદેશ અને જિલ્લા ના કાર્યકરો એ લીધી. આદર્શ નિવાસી શાળા માં રહેવાની જમવાની સુવિધા તથા છાત્રાલય કોમ્પ્યુટર રૂમ તથા વર્ગમાં વિધાથી સાથે વાર્તાલાપ કર્યો. અને વધારાની સુવિધા માટે સરકાર માં રજુઆત કરીશું એમ કહ્યું આ છાત્રાલય ના ગૃહપતિ ને ડો.બાબા સાહેબ નું પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને નવનિયુક્ત સરપંચશ્રી ઓનું પણ બાબા સાહેબ નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતી. મોરચા ના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય જિલ્લા અનુ.જાતી. મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમાર,પ્રદેશ અનુ.જાતી.કારોબારી સભ્ય કિરીટભાઈ પરમાર અને રાજુભાઇ પાલડીયા તથા મોરચા ના ઉપ પ્રમુખ રમેશભાઈ પરમાર મહેસાણા તાલુકા અનુ.જાતી. પ્રમુખ ગીરીશભાઈ પરમાર જિલ્લા મોરચાના આઇટી કન્વીનર અરવિંદભાઈ ગાંધી તથા સહ કન્વીનર નરેશભાઈ તથા જિલ્લા અને તાલુકા શહેરના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.



