પાટણ તા.૮
શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ , પાટણ દ્વારા શ્રી વિરજલા સેવા સમિતિ ના સહયોગ થી શુક્રવાર ના રોજ પાટણ શહેર ના ગાંધી સ્મૃતિ હોલ ખાતે પાટણ જિલ્લાની વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સમારંભના અધ્યક્ષ, મુખ્ય મહેમાન, અતિથી વિશેષ, ભોજનદાતા સહિતના મહાનુભાવો નાં વરદ હસ્તે વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ , પાટણ તથા વીરજલા સેવા સમિતિ , પાટણ સંસ્થા ના પ્રમુખ કનુભાઈ પરમાર , મંત્રી કિર્તીભાઈ પટેલ અને લાભાર્થીઓએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવવામાં સહિયોગ આપ્યો હતો.



