




તાજેતરમાં જ તેમણે કાશ્મીર ફાઈલ ફિલ્મના શો 914 વ્યક્તિઓને ફ્રીમાં બતાવીને પોતાની દેશદાઝ વ્યક્ત કરી તે સાબિત કરે છે કે તેમને દેશ પ્રત્યેની લાગણી કેટલી છે તેમજ
આજ રોજ તા.27-03-22 ના શહીદ દિન નિમિતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા નૂતન જનરલ હોસ્પિટલ ખાતે શહીદવીર ભગતસિંહજી , સુખદેવજી , રાજગુરુજી ને શ્રદ્ધાંજલિ આપવામા આવી . આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત સમગ્ર ટ્રસ્ટીગણ , યુનિવર્સિટી સ્ટાફ અને તમામ વિભાગ ના હેડ અને કર્મચારી હાજર રહી શહીદો ને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.શ્રી પ્રકાશભાઈ પટેલ સહિત 200 થી પણ વધુ યુવક – યુવતીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતુ . પ્રકાશભાઇએ વિશેષ કહેતા જણાવ્યું કે દરેક વ્યક્તિને પોતાના દેશ માટે લાગણી અને ગૌરવ હોવું જ જોઈએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશ માટે જે કાર્યો કરે છે તેમની સામે આ એક નાનું સરખું પણ કાર્ય નથી છતાં પણ તેમના ઉદ્દેશો ને ધ્યાનમાં રાખીને અમે આવા કાર્યો કરતા રહીએ છીએ.
ડેવિડ પટેલ. મહેસાણા
