

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અન્વયે નિયામકશ્રી આયુષના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી લની કચેરી વડોદરા દ્વારા કુમાર શાળા વાઘોડિયા અને પાદરા ખાતે નિશુલ્ક આયુષ મેગા નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું હતું. આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનો વાઘોડિયામાં ૧૩૮૯ અને પાદરામાં ૨૦૧૭ સહિત કુલ ૩૪૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદ,હોમિયોપેથીક, દંત રોગ અગ્નિકર્મ,પ્રતિમર્ષ નસય,ધુમ નસય,પ્રકૃતિ પરીક્ષણ ઉકાળા વિતરણ ,હોમિયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, યોગ નિદર્શન,આયુષ પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત વૈધોએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નીલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ રબારી, સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.
