

ગીર સોમનાથ જિલ્લાના બી.જે.પી મહિલા મોરચા ની સરાહનીય કામગીરી, તા 18.4.2022 ના રોજ સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબ તથા મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકાબેન સરડવા ની સુચનાથી ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ માનસિંગ ભાઇ પરમાર તેમજ મહિલા મોરચાના પ્રભારી સ્મૃતિ બેન શાહ તથા જિલ્લા અધ્યક્ષા ડો. નિશાબેન ગોહિલ તેમજ ઉના શહેર મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ભેસાણિયા અને મહિલા મોરચાના બહેનો દ્વારા આંગણવાડી તથા આશા વર્કર બહેનો ના સન્માનનો તેમજ બાળકોને પૌષ્ટિક આહાર વિતરણની સરાહનીય કામગીરી કરવામાં આવેલ,આ કાર્યક્રમ ગીર સોમનાથ, ઉના, તાલાલા, કોડીનાર માં મહિલા મોરચાના બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો.
