


દુનિયાભરમાં પણ લગભગ ૧૯૩ જેટલા દેશોમાં ઇન્ટરનેશનલ યોગ ડે ની ઉજવણી .
ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly ) માં કરાયેલા સંબોધનમાં ૨૧ જૂન દુનિયાભરમાં યોગ ડે તરીકે મનાવવાનો સુઝાવ આપ્યો હતો જેનો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૫ થી ભારત સહિત દુનિયાભરમાં ૨૧ જૂન યોગ ડે તરીકે ઉજવાઈ રહ્યો છે .
ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં તથા સુરત શહેરના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આ યોગ દિવસની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી રહી છે , જે અંતર્ગત વિવિધ જગ્યાઓ ઉપર યોગના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાજી , મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઈ ભીમનાથ, અન્ય પદાધિકારીશ્રીઓ , ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ , નગરસેવકશ્રીઓ , વરિષ્ઠ આગેવાનો , કાર્યકર્તાઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .

