

જામ – જોધપુર ભાજપ દ્વારા કટોકટી દિવસ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રસ ના સમયકાળમાં લાગેલ કટોકટી દિવસ પાદ કરી બેનરો સાથે કટોકટી કેમ ભુલાય ના નારા સાથે રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યકમમાં જામનગર જિલ્લાના પ્રવીણસિહ જાડેજા પૂર્વ કેબીનેટ મત્રી ચિમનભાઈ સાપરીયા પૂર્વ જિલ્લા મહામંત્રી ચેતનભાઈ કડીવાર નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દભાઈ કડીવાર તાલુકા ખરીદવેચાણ સંઘ પ્રમુખ કિશોરસિંહ જાડેજા શહેર પ્રમુખ જયેશ ભાલોડીયા તાલુકા પ્રમુખજે.ટી.ડોડીયા પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ. વાછાણી જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદીય (લાલજી) સુતરીયા સહિત ભાજપના અનેક કાર્યકરો જોડાયા હતા.
