






ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ” આઝાદીકા અમૃત મહોત્સવ ‘ ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર ધ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન તા .૦૫ જુલાઈ ૨૦૨૨ થી તા .૧૯ જુલાઈ ૨૦૨૨ દરમ્યાન કરવામાં આવનાર છે . જેના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવા સારૂ માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં શહેરના માન . ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન સ્થાયી સમિતિ સભાખંડ નવી એનેક્ષી બિલ્ડીંગ , મુગલીસરા ખાતે કરવામાં આવેલ . આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ધ્વારા છેલ્લા ૨૦ વર્ષોમાં કરવામાં આવેલ વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચાડવા તથા સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીથી લોકો માહિતગાર થાય તે હેતુસર શહેરના કુલ ૩૦ વોર્ડમાં વોર્ડદીઠ કાર્યક્રમો તથા વંદે ગુજરાત વિકાસ રથ મારફત ફિલ્મ ઘ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવશે . વધુમાં વોર્ડદીઠ કાર્યક્રમોમાં પી.એમ.જે.એ.વાય . માં યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ અને લોકકલ્યાણના પ્રકલ્પોના લોકાર્પણ સહિતનું આયોજન હાથ ધરવામાં આવેલ છે . આ બેઠકમાં માન . ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , માન . ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ , માન . ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી , માન . ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા , માન . ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાવાડિયા , માન . ડે . મેયર શ્રી દિનેશભાઈ જોધાણી , માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ , માન . કમિશનર શ્રી બંછાનિધિ પાની , માન . નેતા શાસકપક્ષ શ્રી અમિતસિંગ રાજપૂત , માન . દંડક શાસકપક્ષ શ્રી વિનોદભાઈ પટેલ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ” આઝાદીકા અમૃત મહોત્સવ ‘ ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર ધ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન તા .૦૫ જુલાઈ ૨૦૨૨ થી તા .૧૯ જુલાઈ ૨૦૨૨ દરમ્યાન કરવામાં આવનાર છે . જેના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવા સારૂ માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં શહેરના માન . ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન સ્થાયી સમિતિ સભાખંડ નવી એનેક્ષી બિલ્ડીંગ , મુગલીસરા ખાતે કરવામાં આવેલ . આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ધ્વારા છેલ્લા ૨૦ વર્ષોમાં કરવામાં આવેલ વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચાડવા તથા સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીથી લોકો માહિતગાર થાય તે હેતુસર શહેરના કુલ ૩૦ વોર્ડમાં વોર્ડદીઠ કાર્યક્રમો તથા વંદે ગુજરાત વિકાસ રથ મારફત ફિલ્મ ઘ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવશે . વધુમાં વોર્ડદીઠ કાર્યક્રમોમાં પી.એમ.જે.એ.વાય . માં યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ અને લોકકલ્યાણના પ્રકલ્પોના લોકાર્પણ સહિતનું આયોજન હાથ ધરવામાં આવેલ છે . આ બેઠકમાં માન . ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , માન . ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ , માન . ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી , માન . ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા , માન . ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાવાડિયા , માન . ડે . મેયર શ્રી દિનેશભાઈ જોધાણી , માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ , માન . કમિશનર શ્રી બંછાનિધિ પાની , માન . નેતા શાસકપક્ષ શ્રી અમિતસિંગ રાજપૂત , માન . દંડક શાસકપક્ષ શ્રી વિનોદભાઈ પટેલ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા
