મહેસાણાના લોકપ્રિય અને કર્મઠ સાંસદ શ્રી શારદાબેન પટેલ ની વધુ એક માંગણી ઉપર કેન્દ્ર સરકાર ની મહોર

આજે 100 વર્ષ જુની માંગ આબુ રોડ-અંબાજી-તારંગાહિલ નવી રેલ લાઇનને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આજે કેન્દ્રીય કેબીનેટ ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને તારંગાહિલ-અંબાજી-આબુરોડ માટે ૧૧૬ કિલોમીટર ની નવી રેલવે લાઈન મંજુર કરવામાં આવી છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2798.16 કરોડ થશે જે 2026-27 સુધીમાં પૂર્ણ થશે. શારદાબેન પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં “ડીમાન્ડ ફોર ગ્રાન્ટ” અંતર્ગત મહેસાણા જીલ્લાના ૪ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત કરી હતી. સંસદસભ્યશ્રી શારદાબેન પટેલની પ્રજાકીય સુવિધાઓની રજૂઆતને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન ઝરદોષ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જે અંતર્ગત રૂપિયા 537 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 65 કિલોમીટર લંબાઇની મહેસાણા-પાલનપુરની ડબલીંગ લાઇનનું ખાતમુર્હત, રૂ 415 કરોડના ખર્ચે 41 કિલોમીટર લાંબી વિજાપુર થી આંબલિયાસણ રેલવે લાઇનનું ગેજ પરિવર્તન, રૂ 347 કરોડના ખર્ચે 37 કિલોમીટરની કલોલ-કડી-કટોસણ લાઇનનું ગેજ પરિવર્તન, રૂપિયા 417 કરોડના ખર્ચે 39 કિલોમીટરની મોટી આદરજ થી વિજાપુર લાઈનના ગેજ પરિવર્તન સહિત પાલનપુર-રાધનપુર ની 114 કિલોમીટરની લાઇનનું ડબલીંગનો શિલાન્યાસ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ગયા મહીને થઇ ગયો છે. આબુ રોડ-અંબાજી- તારંગાહિલ નવી રેલ લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, માઉન્ટ આબુ ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલ માર્ગ ઉપલબ્ધ થશે તેમજ દેવી શક્તિપીઠ અંબાજી અને જૈન તીર્થસ્થાનોનું જોડાણ પણ થશે. સાઈટ તારંગાહિલ રેલ્વે લાઈન દ્વારા.જેના કારણે આ વિસ્તારમાં લોકોને રોજગારી મળશે અને તેમની અવરજવરનો માર્ગ સરળ બનશે. ટ્રેનોના આગમનથી પહાડોથી ઘેરાયેલા ધાર્મિક વિસ્તારમાં નવી ઉર્જા આવશે. સ્થાનિક જનતાને સારી અને સસ્તી રેલ સુવિધા આપવા માટે આ એક મોટું પગલું છે. આ લાઇન રાજસ્થાન અને ગુજરાતના ધાર્મિક સ્થળો વચ્ચે મીટીંગનું કામ કરશે અને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે તેમજ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. રાજસ્થાનના ફાલના, આબુ, સિરોહી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે આ એક ભેટ છે જેઓ પોતાની આજીવિકા માટે અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે અને અહીંના ઉદ્યોગને વેગ મળશે. આ પ્રોજેક્ટની શરૂઆત એ એક સુખી સ્વપ્ન છે જે મોદીજીના નેતૃત્વમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ રેલ લાઇન રોજિંદા મુસાફરો માટે ખાસ કરીને લાભદાયી બનશે અને વેપાર અને સામાજિક કાર્યો માટે આવતા સામાન્ય માણસને સસ્તી અને સરળ રેલ પરિવહન પ્રદાન કરશે તેમજ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સીધી રેલ જોડાણ સ્થાપિત થશે. આ માટે સાંસદશ્રી શારદાબેન પટેલે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન ઝરદોષ તથા કેન્દ્ર ની સરકાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM