

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભાત માં રાણા સમાજ નું આસ્થા નું કેન્દ્ર એવું મેતપુર સ્થિત શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રાણા સમાજની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય ફંડમાંથી ફાળવેલ રૂ. 3 લાખના બ્લોક પેવિંગ ના કામ નું ખાતમુર્હૂત ખંભાત ના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ ના પ્રમુખ જીતુભાઈ રાણા મેતપૂર સરપંચ હિતેશભાઈ પટેલ રણછોડભાઈ ભરવાડ, કંચનભાઈ રાણા, દિનેશભાઈ રાણા,રમેશભાઈ રાણા, નરેશભાઈ રાણા ભયલું મહારાજ, તેમજ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

