

આઝાદીના ૭૫માં વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી રૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ લગાવવા માટે ગાંધીધામ કંડલા કૉમ્પ્લેક્સના કાર્યકારી પ્રમુખ શ્રી હીરાભાઈ ધુવા, સેક્ટર ૭ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી કરશનભાઈ દનિચા, ચારણ સમાજ પ્રમુખ શ્રી નવીનભાઈ ચારણ, આર્ય સમાજ ખાતે પ્રતિનિધિને, સેક્ટર ૭ વિસ્તારના અગ્રણીઓને, સ્થાનિક રહેવાસીઓને તેમજ પવિત્ર શ્રાવણ મહિનામાં મહેશ સંપ્રદાયના પવિત્ર વ્રત ગોરખુડા વ્રતધારી મહેશ્વરી બહેનોને ગાંધીધામ શહેર ભાજપ મંત્રી એડવોકેટ વંદના કિશોર ધુવા દ્વારા રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું.
