
આજે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આખા ગુજરાત રાજ્યમાં શહેર શહેર ગામડે ગામડે હર ઘર તિરંગા અંતર્ગત રેલીના આયોજન થઈ રહ્યા છે. હર ઘર તિરંગા અંતર્ગત મુન્દ્રાની બી.એડ. કોલેજ ખાતે હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી. એડ. કોલેજના આચાર્ય ડો. લાલજીભાઈ ફફલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
