સમરસ કાવડ યાત્રા 2022 દ્વારા ગુજરાત ની 182 વિધાનસભા માં 202 શિવાલયો માં જળાભિષેક ઉત્સાહપૂર્ણ કરવામાં આવ્યો

ખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજિત સમરસ કાવડ યાત્રા 2022 દ્વારા લાવેલ ગંગા જળ દ્વારા શ્રાવણ માસના અંતિમ દિવસ અમાવાસ્યા ના પાવન અવસરે સમગ્ર ગુજરાત ની 182 વિધાનસભા માં 202 શિવાલયો માં જળાભિષેક ઉત્સાહપૂર્ણ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત 119 ઠાસરા વિધાનસભા માં પુરાણીક ગળતેશ્વર મંદિર ખાતે સંતો મંહતો ની પાવન ઉપસ્થિતિ મા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજીત તથા નેતા નહિ પણ સેવક નુ બિરૂદ જેમ ને પ્રાપ્ત છે તેવા બિન અનામત આયોગ ના પુર્વ ઉપાધ્યક્ષ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય,ના નેતૃત્વમાં ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા ના માધ્યમથી આપણા ગુજરાત ના કાવડ યાત્રિ ઓ દ્વારા હરિદ્વાર થી લવાયેલ પવિત્ર ગંગા જળ ઠાસરા વિધાનસભા મા આવેલા અતિ પ્રાચીન ગળતેશ્વર મહાદેવ પર અભિષેક કરવામાં આવ્યો આ પવિત્ર કાર્ય મા બિન અનામત આયોગ ના પુર્વ ઉપાધ્યક્ષ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ગુજરાત પંચાયત પરિસદ અને ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ, સંગઠન અને વહીવટી કાર્ય નો સમન્વય એવા એકટીવ મહિલા લીડર શ્રી મતિ નૈયનાબેન પટેલ,પ્રદેશ સભ્ય શ્રી વિનુભાઈ પટેલ, ગળતેશ્વર સંગઠન પ્રમુખ શ્રી શૈલેષ ભાઈ પટેલ,જીલ્લા પંચાયત સભ્ય એફ.યુ.ચૌહાણ, સંગઠન ઉપ પ્રમુખ શ્રી રણવિરસિંહ રાઉલજી,ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય શ્રી અશેષ વ્યાસ તથા હિન્દુ જાગરણ મંચના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM