
તા. ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ખાતે અમીયાપુર ગામે અમીયાપુર પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રના બુથ નં. ૨૧૮(વર્ષ ૨૦૨૨- સુધારેલી યાદી પ્રમાણે બુથ નં. ૨૨૦) માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો “મન કી બાત” કાર્યક્રમ બુથના પેજ પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો સાથે નિહાળ્યો તેમજ ત્યારબાદ પેજ પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો સાથે ટિફિન બેઠક કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, સુમનભાઈ પટેલ, ખોડાભાઈ ભરવાડ, વિષ્ણુજી ઠાકોર, રાજેશભાઈ રાઠોડ, યુવા મોરચાના પ્રમુખશ્રી સતિષભાઈ પારેખ, મહામંત્રીશ્રી કિરીટસિંહ વાઘેલા, નયનાબેન તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહેલા.
