
શૈશવ રાવ રાજપીપળા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીના 9 વર્ષના કાર્યકાળમાં આવેલી વિકાસલક્ષી કામગીરીને જનતા સુધી પહોંચાડવાનું ભગીરથ અભિયાન મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે સર્કીટ હાઉસ,રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા લીગલ સેલની બેઠક યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ વક્તા તરીકે વડોદરા મ્યુન્સીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી ડૉ.રાજેશભાઈ શાહએ જનસંપર્ક અભિયાન વિશે ઉત્તમ માર્ગદર્શન આપ્યું. બેઠકમાં નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ જી, જિલ્લા મહામંત્રી શ્રી નિલ રાવ , જિલ્લા લીગલ સેલ કન્વીનર શ્રી તપનભાઈ મઢીવાલા,ઉત્કર્ષભાઈ પંડ્યા તથા સૌ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા.
