
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર નગર પાલિકા અને રાજપુરોહિત સમાજ ના સહયોગ થી નિર્માણ પામેલ શહેર ના ત્રણ રસ્તા ખાતે નિર્માણ પામેલ ખેતેશ્વર સર્કલ તેમજ અટલ આર્કેડ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રાદેશિક કમિશ્નર ડી.ડી કાપડિયા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ત્રણ રસ્તા થી ઓએનજીસી કચેરી સુધી ના મુખ્ય માર્ગ ઉપર ના ડિવાઈડર ગ્રીલ ના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .






અંકલેશ્વર શહેર ના હાર્ડ સમા ત્રણ રસ્તા પાસે રાજસ્થાન ના અને હાલ અંકલેશ્વર માં વર્ષોથી વસવાટ કરતા રાજપુરોહિત સમાજ દ્વારા નગર પાલિકા ના સહયોગ થી રૂપિયા 20 લાખ ના ખર્ચે નવીનત્તમ સંત શ્રી ખેતેશ્વર સર્કલ નું નિર્માણ કરવામાં આવ્યું છે ,જેનું શુક્રવાર ના રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ માં પ્રાદેશિક કમિશ્નર ડી.ડી કાપડિયા સહીત રાજપુરોહિત સમાજ ના આગેવાનો અને નગર પાલિકા ના પદાધિકારો ઉપસ્થિત રહ્યા હતા સાથે શહેર ના ત્રણ રસ્તા સર્કલ થી ઓએનજીસી કચેરી સુધી ના મુખ્ય માર્ગ ઉપર રૂપિયા 23 લાખ ઉપરાંત ના ખર્ચે ડિવાયર ગ્રીલ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રાદેશિક કમિશ્નર ડી.ડી કાપડિયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે ત્રણ રસ્તા પાસે નગર પાલિકા દ્વારા રૂપિયા 2 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ કરેલ અટલ આર્કેડ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા નગર પાલિકા ના વિનય વસાવા ,સંદીપ પટેલ સહીત પાલિકા ના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
