
બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકાના પક્ષના ચૂંટાયેલા સભ્યો વગેરે દ્વારા મેઇન બજારમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય સાહેબના જન્મદિન નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકરો દ્વારા તેમના જીવન ચરિત્ર નો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું હતું કે તેઓ મહાન રાજનીતિજ્ઞ, પ્રખ્યાત લેખક, અંત્યોદય ના પ્રણેતા, શ્રેષ્ઠ સંગઠન કર્તા, અને જનસેવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે હમેશા સંઘર્ષ કર્યો છે તેવા તેમના મહાન કર્યો વિચારો ને અનુલક્ષી ને કાર્યકરોએ તેમના વિચારો મુજબ અને સિધ્ધતો મુજબ સંગઠન માટે ના કાર્યો નું અને છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય તેમજ આર્થિક લાભ માટે તેમની જેમ પ્રયત્ન કરવા સંકલ્પ કર્યો હતો



