
યુરોપિયન યુનિયનના પર્યાવરણ, સમુદ્ર અને મત્સ્યપાલન વિભાગના યુરોપિયન કમિશનર શ્રી વર્જિનિજસ સિન્કેવીયસયસની આગેવાની હેઠળની એક પ્રતિનિધિમંડળે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાની મુલાકાત લીધી હતી. મત્સ્યપાલન અને જળચરઉછેર અંગેના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

યુરોપિયન યુનિયનની વિનંતી પર, બંને પક્ષો પોર્ટ સ્ટેટ મેઝર એગ્રીમેન્ટ, ડબ્લ્યુટીઓમાં મત્સ્યપાલન સબસિડીના મુદ્દાઓ, હિંદ મહાસાગર ટુના કમિશન (આઈઓટીસી), ‘ઓશન એન્ડ ફિશરીઝ ડાયલોગ’, આઇયુયુ ફિશિંગ અને માર્કેટ એક્સેસ સંબંધિત મુદ્દાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મત્સ્યપાલન પર રચાયેલા સંયુક્ત કાર્યકારી જૂથના માળખાની અંદર દ્વિપક્ષીય રીતે જોડાવા સંમત થયા હતા.
ભારતીય પક્ષે યુરોપિયન યુનિયનનું ધ્યાન યુરોપિયન યુનિયનની સરહદ પર નિરીક્ષણ પોસ્ટ પર ભારતીય ખેતી ધરાવતા ઝીંગાઓના નિરીક્ષણ માટે નમૂનાની આવૃત્તિ હાલના 50 ટકાથી ઘટાડીને અગાઉના સ્તર 10 ટકાના અગાઉના સ્તર પર, બિન-સૂચિબદ્ધ મત્સ્યઉદ્યોગ મથકોની પુનઃસૂચિ કરવા અને ભારતમાંથી યુરોપિયન યુનિયનને મત્સ્યપાલન ઝીંગાની નિકાસ માટે મંજૂરી આપવા સાથે સંબંધિત બાબતો પર દોર્યું હતું.
વધુમાં, યુરોપિયન યુનિયનના પક્ષને મે, 2021માં ભારત-યુરોપિયન યુનિયન લીડર્સ સમિટ દરમિયાન યુરોપિયન યુનિયન અને તેના સભ્ય દેશોને આપવામાં આવેલા આમંત્રણના અનુસંધાનમાં ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (આઇપીઓઆઇ)ના કોઈ પણ આધારસ્તંભ સાથે જોડાવા પણ વિનંતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં મત્સ્યપાલન વિભાગનાં સચિવ ડૉ. અભિલાક્ષ લિખી તથા મત્સ્યપાલન વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ, વિદેશ મંત્રાલયનાં પ્રતિનિધિઓ અને નિકાસ નિરીક્ષણ પરિષદનાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

