ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)ની સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સિસ (એસસીબીએસ)એ, 4 ઓગસ્ટ, 2023ના રોજ, “વિપશ્યના મેડિટેશનના માધ્યમ દ્વારા સુધારણા સેવાઓ” વિષય પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત આઈપીએસ અને પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. કિરણ બેદી ઉપસ્થિત રહ્યા હતા, જેમનું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી સુશીલ ગોસ્વામી અને આરઆરયુના એસસીબીએસના ડાયરેક્ટર ડો.મહેશ એ.ત્રિપાઠીએ સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં આર.આર.યુ.ના પ્રો.વીસી પ્રો.(ડો.) કલ્પેશ એચ.વાન્દ્રા અને એસ.સી.બી.એસ., આર.આર.યુ.ના ચીફ મેન્ટર ડો.એસ.એલ.વાયાએ સહ-અધ્યક્ષતા કરી હતી.
ડો. બેદીએ કેદીઓના લાભ માટે વિપશ્યના પ્રથા પર ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે તિહારની આઈજી જેલ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાનના તેમના અનુભવો અને વિપશ્યનાએ કેદીઓના પુનર્વસનમાં કેવી રીતે મોટી મદદ કરી હતી તે શેર કર્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપશ્યના એ વ્યક્તિની કાયાપલટ કરવા માટેનું સૌથી અસરકારક સાધન છે અને તે માત્ર કેદીઓને જ નહીં, પરંતુ પોલીસ અધિકારીઓ અને અન્ય કાયદા અમલીકરણ કર્મચારીઓને પણ પ્રદાન કરવું જોઈએ.
ડો. બેદીએ વધુમાં સૂચવ્યું હતું કે આર.આર.યુ.એ વિપશ્યના મેડિટેશન માટે એક કેન્દ્રની સ્થાપના કરવી, અને વિપશ્યનાને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટેના અભ્યાસક્રમના ભાગ રૂપે રજૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે વિપશ્યનાનો સતત અભ્યાસ કરવો એ કોઈની એકાગ્રતા વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને તે તાણ અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડો. બેદીએ ગુનાના કારણો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને 3 ઇ એટલે કે નબળું એજ્યુકેશન, નબળું એન્વાયર્નમેન્ટ અને ખરાબ એક્સ્પિરિયન્સ મૂળ કારણ છે એમ પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું કે વિપશ્યના ગુનાના આ મૂળ કારણોને દૂર કરવામાં મદદ કરી શકે છે અને તે એવા લોકોનું પુનર્વસન કરવામાં પણ મદદ કરી શકે છે જેમણે પહેલેથી જ ગુનાઓ કર્યા છે. નિષ્કર્ષમાં, ડો. બેદીએ કહ્યું હતું કે વિપશ્યના પરિવર્તન માટેનું એક શક્તિશાળી સાધન છે અને તેનો ઉપયોગ વ્યક્તિઓ, પરિવારો, સમુદાયો અને સમાજના જીવનને સુધારવા માટે થઈ શકે છે. તેમણે પ્રેક્ષકોને વિપશ્યના વિશે વધુ જાણવા અને તેને તેમના પોતાના જીવનમાં સમાવવાનું વિચારવા વિનંતી કરી.
આ સત્ર ખૂબ જ ઈન્ટરએક્ટિવ હતું, અને ચર્ચા દરમિયાન તેમણે તેમના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરવાની દરખાસ્ત કરી, જેનું ડૉ. ત્રિપાઠીએ સ્વીકાર્યું છે, અને આર.આર.યુ. તેમના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર અને પ્રકાશન કરવાના છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારાઓ તરફથી મળેલા પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક હતા, અને ઘણા લોકોએ વિપશ્યના વિશે વધુ જાણવામાં રસ દાખવ્યો હતો. આરઆરયુ ખાતેની સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સિસ તેના વિદ્યાર્થીઓને વિશ્વ પર હકારાત્મક અસર કરવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઇવેન્ટ વિદ્યાર્થીઓ માટે વિપશ્યના અને જીવનમાં પરિવર્તન લાવવાની તેની સંભાવના વિશે શીખવાની મૂલ્યવાન તક હતી.
વિપશ્યના એ ધ્યાનનું એક સ્વરૂપ છે જે ભારતમાં સદીઓથી પ્રચલિત છે. તે સ્વ-નિરીક્ષણની એક તકનીક છે જે વ્યક્તિની શરીર, મન અને લાગણીઓ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મદદ કરી શકે છે. વિપશ્યના વ્યક્તિગત પરિવર્તન માટેનું એક શક્તિશાળી સાધન છે, અને તે તણાવ, ચિંતા અને હતાશાને ઘટાડવામાં અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
યુનિવર્સિટીનું નિર્માણ ભારતની આદર્શ સુરક્ષા શૈક્ષણિક યુનિવર્સિટી તરીકે થવાનું છે. તે
અત્યંત વ્યાવસાયિક સુરક્ષા, વ્યૂહાત્મક અને પોલીસ શિક્ષણ, તેના લાયકાત ધરાવતા નાગરિક અને સુરક્ષા અને પોલીસ ફેકલ્ટી, પ્રતિબદ્ધ માનવ સંસાધન, સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, બૌદ્ધિક રીતે ઉત્તેજીત અને વ્યાવસાયિક શિસ્તબદ્ધ વાતાવરણ અને વિશ્વવ્યાપી નેટવર્ક, વહેંચણી અને આદાનપ્રદાન મારફતે તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેનો હેતુ સમકાલીન અને ભાવિ સુરક્ષા વ્યૂહાત્મક અને પોલીસ અભ્યાસ અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં સુરક્ષા અને વ્યૂહાત્મક શિક્ષણ પ્રદાન કરવાનું છે.
આ યુનિવર્સિટી સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે ભવ્ય વ્યૂહાત્મક સહકાર સાથે જોડાણમાં શાંતિ, સમૃદ્ધ અને સ્થિર વિશ્વનાં ભારતનાં વિઝનમાં પ્રદાન કરે છે તથા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, રાજદ્વારીઓ, સનદી અધિકારીઓ અને નાગરિકો વચ્ચે રાષ્ટ્રનાં ઉદ્દેશને પ્રોત્સાહન આપવા વધારે સમજણને પ્રોત્સાહન આપે છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે, તેના શિક્ષણ, સંશોધન અને તાલીમ અને વિસ્તરણમાં બે સ્તરીય અભિગમ અપનાવે છે, જેથી સુરક્ષા અને વ્યૂહાત્મક સંસ્થાઓ અને દળો તેમજ કાયદો નિર્માણ, શાસન, ન્યાયતંત્ર, અર્થતંત્ર (કૃષિ-ઉત્પાદન-સેવા ક્ષેત્રો) અને નાગરિક સમાજ સંગઠનોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પહોંચી વળવાની ક્ષમતાઓ પ્રાપ્ત કરી શકાય.
