“મારી માટી મારો દેશ” અભિયાન ને દેશવાસીઓનો મળ્યો વ્યાપક પ્રતિસાદ : ગજેન્દ્રભાઈ સક્સેના

અમદાવાદ સમાપન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લામાંથી 6 હાજર થી વધુ કાર્યકરો જોડાશે : કનુભાઈ પટેલ
ઇકબાલ મેમણ હિંમતનગર
” દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે “હર ઘર તિરંગા” અભિયાન યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી. જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. તેજ રીતે પ્રધાનમંત્રીએ આ વર્ષે ” મેરી માટી મેરા દેશ ” અભિયાન આઝાદીના અમૃતકાળમાં યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આ અંગે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ હિંમતનગર શહેરમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વધુમાં જણાવેલ કે, ગત 9મી ઓગષ્ટે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમના 103માં એપિસોડમાં આ અભિયાન અંગે દેશવાસીઓને જણવ્યું હતું. દેશને આઝાદી અપાવવા જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેવા વીર શહીદો અને વીરાંગનાઓને સન્માન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃતકાળના 75માં વર્ષના અંતે આ અભિયાનનું સમાપન થઇ રહ્યું છે. ત્યારે દિલ્હી મુકામે આયોજિત મુખ્ય કાર્યક્રમના 27મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના રિવર ફ્રન્ટ મુકામે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી વિધાનસભા દીઠ એક કળશ અહીં લાવવામાં આવશે.
હિંમતનગરમાં જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે સાબરકાંઠા જિલ્લામાં 4 તાલુકાઓ માં તમામ વોર્ડ તથા ગામોમાં, પ્રત્યેક બૂથમાં “મારી માટી મારો દેશ” અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રત્યેક ઘરમાંથી માટી અથવા ચોખાના દાણા લઈને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા માંથી 6 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે.”
કનુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 7500 કળશમાં માટી અને છોડ લાવવામાં આવશે. આ ભેગી થયેલી માટી કળશ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક નિર્માણાધીન અમૃત વાટિકામાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ અમૃત વાટિકા “એક ભારત , શ્રેષ્ઠ ભારત” નું પ્રતીક બની રહેશે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ સ્વાગત પ્રવચન કરી સાબરકાંઠા જિલ્લામાંથી “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમ માં ગામોમાં આવતા શહીદ પરિવારોની પણ મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમની માહિતી આપી હતી.
આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવાર, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પંકજ ધુવાડ ઉપસ્થિત રહ્યા હતા.
