

વાલિયા તાલુકાના સામાજિક વનીકરણ વિભાગ વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું 152-ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ 15/10/2023ના રોજ લીમડી ફળીયાના રમીલાબેન મંગાભાઈ વસાવાનું દીપડા દ્વારા હુમલો કરવાથી મૃત્યુ થયેલ હતું જેના અંતર્ગત આજ રોજ વનવિભાગ તરફથી એમના કુટુંબીજનોને 152-ઝઘડિયા ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા ના હસ્તે રૂપિયા 500000/-નો ચેક આપવામાં આવ્યો ત્યારે તા.પં.પ્રમુખશ્રી સીતાબેન વસાવા, ઉપપ્રમુખશ્રી દિનેશભાઇ વસાવા,સંગઠન પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ,ઉપપ્રમુખશ્રી નલીનભાઇ ગામીત,તા.પં.સદસ્યશ્રી કિરણભાઈ સોંલકી,દમયંતીબેન,પ્રદેશ મંત્રી શાંતિલાલભાઈ વસાવા,દંડકશ્રી ઇલ્યાસભાઈ કડીવાલા,ધરમસિંહભાઈ વસાવા,વાલિયા ગામના સરપંચશ્રી સોમીબેન વસાવા,આદિ.મોર્ચાના પ્રમુખશ્રી સોમભાઈ વસાવા,જિલ્લા યુવામોર્ચાના ઉપપ્રમુખશ્રી કિરણભાઈ વસાવા, RFO મહિપાલસિંહ ગોહિલ તેમજ તથાં વાલિયા જીલ્લા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ વસાવા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
