રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા






આ કાયૅકમ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જોટાણા વિસ્તારમાં આ નવીન બસ સ્ટેન્ડ ના નિર્માણ થકી વિકાસ ની ગતિ માં વધારો આવશે આજુબાજુના જોટાણા વિસ્તારમાં વિકાસ થાય અને આ વિસ્તારમાં લોકો ને મુસાફરી માં મુસાફરો ને આવવા જવા માટે કોઈ તકલીફ ના પડે તે હેતુથી આ નવીન બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવામાં આવ્યું
જોટાણા તાલુકાના વિસ્તારમાં જોટાણા તાલુકા ખાતે ૫૦૦૦ ચો.મી. વિસ્તારમાં રૂ.૬૦૩.૭૯ લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળા એસ.ટી.બસ સ્ટેશનનું ગુજરાત સરકારના માન. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિસ્તારમાં રહેતા મુસાફરોની યાત્રા ઉત્તમોત્તમ, સુવિધાયુક્ત અને સુગમ બને તે માટે નવીન બસ સ્ટેશનનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે ગુજરાતના એસ.ટી. સ્ટેશનો દેશ માટે આદર્શ બનશે.
