

રિપોર્ટ : બીના પટેલ
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ વતી આનંદ ગણેશ સર્કલ પાસે ભગવા ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.ભગવત કરાડજી, જીલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, લોકસભા યાત્રા યોજના ઈન્ચાર્જ શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, આણંદ શહેર સંગઠનના અધિકારીઓ તેમજ કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
