મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, મહેસાણા દ્વારા શ્રી મોરારજી દેસાઈની 129મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ -ડેવિડ પટેલ

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાનશ્રી મોરારજી દેસાઈ સ્વતંત્રતા ચળવળમાં ખાદી પહેરેલા સૈનિક તરીકે, શિક્ષણ ક્ષેત્રે અદભૂત સેવા માટે પ્રખ્યાત હતા. આ દિવંગતની યાદમાં તેમની 129મી જન્મજયંતિ નિમિત્તે વિસનગરનાં શ્રેષ્ઠી, સ્વાત્રંત્ર્ય સેનાની, સેવા ભેખધારી, શીક્ષન્ક્શેત્રના ખાસ પ્રણેતા, રાજનીતિજ્ઞ એવા દિવંગત એવા માન. સાંકળચંદ કાળીદાસ પટેલ ને “મોરારજી દેસાઈ સ્વાશ્રય પારિતોષક એવોર્ડથી “મરણોત્તર સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ અને મુખ્ય મહાનુભાવો, શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રેસિડેન્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર અને શ્રી હર્ષદભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, સાથે અગ્રણી વ્યક્તિઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તેઓએ મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના વિવિધ પ્રયાસો અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.


અતિથિ વિશેષ શ્રી મણીભાઈ એચ. પટેલ, પ્રેસ પ્રતિનિધિ, સરદાર પટેલ કથાકાર, અમદાવાદ, અને સન્માનિત અતિથિ વિશેષ મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM