આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુને અભિનંદન પાઠવ્યા



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:“નવી આંધ્રપ્રદેશ સરકારના શપથ સમારોહમાં હાજરી આપી. શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ ગારુને મુખ્યમંત્રી બનવા બદલ અને સરકારમાં મંત્રી તરીકે શપથ લેનાર અન્ય તમામને પણ અભિનંદન. ટીડીપી, જનસેના અને ભાજપ સરકાર આંધ્રપ્રદેશને ગૌરવની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને રાજ્યના યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
