પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિવિધ હિસ્સામાં અનુભવાયેલા ધરતીકંપના આંચકા સંદર્ભે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદા સોનોવાલ સાથે વાતચીત કરી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “આસામના મુખ્યમંત્રી શ્રી @sarbanandsonwalJi સાથે રાજ્યના વિવિધ હિસ્સામાં અનુભવાયેલા ધરતીકંપના આંચકા અંગે વાતચીત કરી. કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. હું આસામના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.”



