
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અડગ, મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં દેશ તમામ મોર્ચે અગ્રેસર બની મજબૂત થઇ રહ્યો છે સમગ્ર વિશ્વ આજે ભારત તરફ સકારાત્મકતાના ભાવથી જોઈ રહ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતુંત્વવાળી કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂર્ણ થયા નિમિતે “સેવા હી સંગઠન “ના ભાગરૂપે આજે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે આવેલ દંડી સ્વામી આશ્રમ ખાતે અનાજની કિટનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડા જીલ્લાના પ્રભારી ગોરધનભાઈ જડફીયા (પુર્વગૃહ મંત્રી), ભાજપ જીલ્લા પ્રમુખશ્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તથા જીલ્લા મહામંત્રીશ્રી વિપુલભાઈ પટેલ, નટુભાઈ સોઢા, વિકાસભાઈ શાહ તથા હાર્દિકભાઈ તથા તાલુકા સંગઠન ડાકોર, તથા દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : રાકેશ મકવાણા (ખેડા )

