
ચોટીલાના પીપળીયા (ધા) ગામની સીમમાં દિપડાએ ખેડુતની વાછરડી નું મારણ કર્યુ.દીપડાએ બે દિવસમાં બે પશુંઓ સહીત શ્વાન નુ મારણ કર્યુ હોવાથી લોકોમા ફફડાટ જોવાં મળી રહ્યો છે ત્યારે.ઠાંગા વિસ્તારમાં દિપડાના ધામાથી માલધારી અને ખેડૂતોમાં ભયનો માહોલ છે ત્યારે ચોટીલના પીપળીયા ગામની સીમમાં રાત્રીનાં સમયે.ખેડૂત દલપત પોપટભાઈ ડાભી ની ખેતરે બાંધેલી વાછરડી નું દિવડાએ મારણ કર્યુ અને.ખેતરમાં દિપડાના પગનાં નિશાન હોય તેવાં પણ જોવાં મળી રહીયા હતા ત્યારે એકબાજુ ચોમાસુ નજીક આવતું હોવાથી ખેડૂતો ખેતી કામમાં ખેતરમાં કામગીરીની મોસમ ચાલતી હોવાથી જંગલી પ્રાણીઓ દહેશત હોવાથી તે દરમિયાન એકબાજુ ખેતી ની લાઇટો પણ રાત્રે આવતી હોવાથી ખેડૂતોને પણ ખેતરે જવા માટે ડર સતાવી રહીયો છે.ત્યારે ચોટીલા પીજીવીસીએલ દ્વારા ખેતી માટેની વિજળી દિવસે આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
પીપળીયા ગામના ખેડૂતોના પશુંઓ નું મારણ કરી ભોજન દિપડો કરી ગયાં ની આશંકા થી પીપળીયા ગામની સીમમાં અવારનવાર દિપડો દેખા દેતો હોવાથી ખેડૂતોમા પણ ભયનો માહોલ જોવાં મળી રહીંયા છે ત્યારે પીપળીયા ગામની સીમમાં બે દિવસમાં બે પશુ સહીત શ્વાન નુ દિવડાએ મારણ કર્યુ હોવાથી ખેતરો પર રહેતા ખેડૂતોમા પણ એક ચિંતા ઊભી થવા પામી છે ત્યારે.ચોટીલા વનવિભાગ દ્વારા પાંજરુ રાખીને દિપડા ને વહેલી તકે પકડી પાડે તેવી સ્થાનીક ખેડૂતો ની માંગ
અહેવાલ…લઘુભાઈ ધાધલ’ ચોટીલા


