
આજ રોજ લાડવાળા સ્થિત સયાજીસ્કુલ ખાતે કેન્દ્રસરકાર ધ્વારા આયોજિત રસીકરણ કેન્દ્રની સંગઠનની ટીમ ધ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ઉપસ્થિત જન સમુદાયને રસીકરણ માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ માનનીય ડૉ.વિજયભાઈ શાહ, શહેર મહામંત્રીશ્રી સુનિલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, પૂર્વ ગુજરાત સરકારના મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલાજી, ડે.મેયરશ્રી નંદાબેન જોષી, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.હિતેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટરશ્રી સચીનભાઈ પાટડિયા, શ્રી હરીશભાઈ જીંગર, શ્રીમતી જેલમબેન ચોકસી સહીત વોર્ડ સંગઠનના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહી રસીકરણના અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.
