અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટને અંજામ અપાયો હતો. બીજી તરફ ઘટના સ્થળની નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે 2 કરોડ લૂંટી ભાગતા જવા લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે, આ કેસમાં હાલ તો આરોપી ઝડપાઇ જતા મોટી લૂંટની ઘટનામાં રૂપિયા પણ રિકવર થઇ ગયા છે.સરકાર દ્વારા શહેરમાં સબ સલામતનાં દાવા વચ્ચે ધોળા દિવસે જાહેરમાં બનેલી લૂંટની આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ


