હિંમતનગરમાં યોજાયેલા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાંપ્રજા જીવનમાં મુશ્કેલી હોય તો અમારા ધ્યાન ઉપર લાવશો -મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિંમતનગરમાં યોજાયેલા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીની કાર્યકર્તાઓને શીખ આપી બહારના લોકો આપણામાં અંદર અંદર કકડાટ ન કરે તેનું ધ્યાન રાખશો

પ્રજા જીવનમાં મુશ્કેલી હોય તો અમારા ધ્યાન ઉપર લાવશો -મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિંમતનગર

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવા વર્ષની કાર્યકર્તાઓની શુભેચ્છા પાઠવી જણાવેલ કે કાર્યકર્તાને કામ કરતા આનંદ રહેવો જાેઈએ શહેરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા સંમેલનમાં શરૂઆતમાં જણાવેલ કે ભગવાનના ચરણોમાં કાર્યકર્તાઓ કકડાટ વગર આગળ વધીએ, આ વર્ષ ઈલેક્શનનો વર્ષ છે કોઈ બહારની વ્યક્તિ આપણામાં અંદરોઅંદર કકડાટ ન કરે અને કોઈને તેવા લોકોને આપણી અંદર આવવાની જરૂર નથી, આપણે પ્રજાજનો વચ્ચે કાર્યકર્તા તરીકે કામ કરતા છીએ તેેથી સૌની જવાબદારી આપણામાંં આવે છે પ્રજા જીવન માં મુશ્કેલી હોય તો અમારા ધ્યાન ઉપર લાવશો અને અમારી ટીમ ચોક્કસ તેનું નિરાકરણ લાવીશું બધાનો મૂળ ચેન્જ કરવા માટે આનંદમાં રહેવા માટે નિરામય ગુજરાત દ્વારા તમારા બધાની ચિંતા સરકારે કરી છે નાનામાં નાની બીમારી ના આવે બીમારીનું સારવાર અને સ્કેનિંગ થાય તે માટે આપણે આ યોજના લાવ્યા છીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવેલ કે કાર્યકર્તા સાચું ખોટું કામ લઈને આવે તો તેની જવાબદારી અમારી છે અમારે પણ તેમનું ધ્યાન રાખવું પડે અમારે પણ તેમનુ સાચુ કામ કરવુ પડે, આપણે કુટુંબ ભાવનાથી કામ કરવાવાળા કાર્યકર્તા છીએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે દેશમાં અને આપણા ગુજરાતને વધુ આગળ લઈ જવાનો આપણો સંકલ્પ છે આપણે નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં છે ત્યાંથી એક સંકલ્પ લઈએ જેમકે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ, જે.પી.નડ્ડાજી, અમિતભાઈ શાહ સહિત સમગ્ર કેન્દ્રમાં અને રાજ્યમાં સંગઠનના આગેવાનો જે રીતે રાત-દિવસ કામ કરી રહ્યા છીએ સાથે સાથે નરેન્દ્રભાઈ ૧૩૦ કરોડ દેશવાસીઓ માટે નાની નાની વસ્તુઓ અને શરુ કરી જેમ કે સ્વચ્છતા અભિયાન, ઘરનું ઘર, ટોયલેટ અપાવ્યા, ઘરે ઘરે ગેસ, લાઈટ તેમજ આઝાદીના અમૃત મહોત્સવ માં આર્ત્મનિભર માટે જે કામો કરવાના છે અને જે કામોમાં માળખાકીય સુવિધાઓ બાકી હોય તે અમારી સામે લાવજાે, મુખ્યમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે જે કોઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે તે લોકોને તેનો લાભ અપાવવો જેમ કે વિધવા પેન્શન હોય કે આયુષ્યમાન કાર્ડ હોય અંતમાં તેમણે જણાવેલ કે આપણામાં કોઈ રુકાવટ ન કરે તેનું ધ્યાન રાખજાે,પ્રભારીમંત્રી કુબેરભાઈ ડીંડોર એ જણાવેલ કે, હું તલોદમાં ભણાવતો હતો ત્યારે મારા સાથી ગજેન્દ્રસિંહ મારા શિષ્ય હતા અમે બંને આજે ચૌદમી વિધાનસભા માં પહેલી વાર ચૂંટાયા અને બંને મુખ્યમંત્રી સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રધાનમંડળમાં છીએ નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ આવે પરંતુ આપણા મુખ્યમંત્રીશ્રી વિઝન ગુજરાતનો નાગરિક નિરોગી જીવન પ્રાપ્ત થાય, નવા વર્ષના સંકલ્પો સાથે આગળ વધીએ, આદરણીય નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આઝાદીના ૭૫મા વર્ષમાં આપણે કોઈને કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ નવા વિચાર – નવા કાર્યો સાથે જનકલ્યાણ ના કામો કરી રહ્યા છીએ. ગાંધીજી કહેતા હતા જનસેવા એ જ પ્રભુસેવા આપણે સત્કર્મ કરીએ બુરાઈની બાદબાકી કરીએ. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે નવા વર્ષની કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી જણાવેલ કે, આપણું મૂળ લક્ષ નાના માં નાના કાર્યકર્તા ને તકલીફ ન પડે, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ બુથ સુધી લઈ જઈએ તેમ જણાવે.

જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે જણાવેલ કે કોરોના કાળ પછી સૌના પરિશ્રમથી ત્રીજા વેવમાંથી પણ સારી રીતે બહાર નીકળી શક્યા છીએ. ઉસ કોને મે દીપ જલાયે અભીભી અંધેરા હૈ ભાજપની સરકારે ખૂબ સેવા કરી છે ક્યાંક છેવાડા ના માનવીની ખુટતી સમાજ કલ્યાણ અને લોકકલ્યાણ ના કામો આપણે પૂરા કરીએ, પાર્ટીનો કાર્યકર્તા આપણી શક્તિ છે. જૂના ર્ક્યકર્તા આપણી મૂળી છે તેમના માર્ગદર્શન થી નવી પેઢી ને આગળ વધારી નવા વર્ષ માં ઉમંગ પૂર્વક અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી આપણી પેજ કમિટી થકી ગુજરાત માં ૧૮૨ સીટનો લક્ષાંક પૂરો થાય અને નરેન્દ્રભાઈ ના સંકલ્પને સાકાર કરવા કટીબધ્ધ થઈએ, જીલ્લા સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીએ જણાવેલ કે, પાછલા વર્ષો કરતા પાછલું વર્ષ કેવંું ગયંું તે મહત્વનું છે. નવું વર્ષ નિરામય રહે જે આપણી સીધ્ધી છે. આવનારા સમયમાં પ્રજા વચ્ચે રહી નવા વર્ષ સંકલ્પો સાથે આગળ વધીયે આપણા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈએ નવુ નજરાણું એ પણ નિરામય યોજનાનું નાના મોટા રોગો શરીરમાં પ્રવેશી રહ્યા હોય તો સ્કેનીંગ કરી આપણું આરોગ્યને સાચવવાનું છે. સરકાર અને સંગઠન દ્વારા જે કાર્યક્રમો મળે તેમાં કામ કરવાનું છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી રમણલાલ વોરા, સાંસદ રમીલાબેન બારા, સાંસદ દીપસિંહ રાઠોડે પણ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી પ્રાસંગીક પ્રવચન કરેલ. જયારે સંગઠન તેમજ ચુંટાયેલા તમામ અગ્રણીઓએ આવેલ મહેમાનોનું સ્વાગત કરેલ. જીલ્લા ભાજપ સંગઠન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન-સ્વાગત કરાયું હતું. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યાકુંવરબા પરમાર, સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર જાેડાયા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ મુખ્યમંત્રીશ્રીને કળશ, શાલ તેમજ તલવારની ભેટ આપી સ્વાગત કર્યુ હતુુ. સહકારી અગ્રણીઓ સાબરકાંંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, જમીન વિકાસ બેન્કના વાઈસ ચેરમેન ફલજીભાઈ પટેલે પણ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતુ. જીલ્લા સાંસદ રમીલાબેન બારા, દીપસિંહ રાઠોડે પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતુ. તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે જીલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, ખજાનચી જયેશભાઈ શાહ, યતીનબેન મોદી, નિલાબેન પટેલ, કમલેશભાઈ બારોટ, રાહુલ પટેલ વગેરે પણ સ્વાગતમાં જાેડાયા હતા. કાર્યક્રમમાં યુવા મોરર્ચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતકાંટ, જીલ્લા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા, સોશ્યલ મીડીયાના કન્વીનર સિધ્ધાર્થભાઈ પટેલ, પૃથ્વીરાજભાઈ પટેલ વગેરે આમંત્રીતમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શહેરના જયંતીભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૌશીકભાઈ પટેલ અને સહયોગ કૃષ્ટ યજ્ઞ ટ્રસ્ટના સંચાલકનું સન્માન કર્યુ હતુ. કાર્યક્રમમાં આવતા પહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમીયા માતાજી મંદીર તેમજ સ્વામીનારાયણ મંદીરમાં દર્શન કરી સંતના આર્શીવાદ મેળવ્યા હતા. જેમાં મંદીરના ટ્રસ્ટીગણે પણ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કર્યુ હતુ.

હિંમતનગર ખાતે માં ઉમિયા માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રીશ્રી..           

       સાબરકાંઠા જિલ્લાની પ્રથમવાર મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મા ઉમિયાના  દર્શન કરી પૂજા -અર્ચન કર્યા હતા. જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે સુપ્રસિદ્ધ ઉમિયા માતાના મંદિરે મુખ્ય મંત્રીશ્રીએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી મા ઉમિયા ના આશીર્વાદ મેળવ્યા હતા… મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લાના અગ્રણીઓ દ્રારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા, શહેર અગ્રણીશ્રી જે.ડી. પટેલ, સહકારી અગ્રણી જેઠાભાઇ પટેલ, ડો.ચીમનભાઇ પટેલ,ધીરુભાઇ પટેલ, ગીરધરભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં નાગરીકોએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

અહેવાલ યુનુસભાઇ મેમણ બ્યુરો ચીફ સાબરકાંઠા

તસવીર ઇકબાલભાઈ મેમણ આસિ.બ્યુરો ચીફ સાબરકાંઠા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM