એસ.એસ.જી. હોસ્પિટલનાં ઓડિટોરિયમમાં તારીખ- 8/1/2022, શનિવારે આપણાં દેશનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ – ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવજી, શિવરામ રાજગુરુ, સરદાર ઉધમસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને વિનાયક સાવરકર જેવા આપણાં અનન્ય, વંદનીય અને અનુકરણીય એવા દસ(10) વીર બલિદાનીઓનાં વંશજોને “રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર” થી પુરસ્કૃત કરવાના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સામેલ થયા અને સંબોધન મા વડોદરાની ધરતી પર આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો પધાર્યા તેથી વડોદરાની ધરતી વધુ પવિત્ર ધરા બની ગઈ છે.,આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યેની આપણી કૃતજ્ઞતા આ રીતે ગરિમાપૂર્ણ રીતે વ્યક્ત કરતાં રહીએ… તેમને આપેલાં બલિદાનને હૃદયમાં રાખીને દેશ પ્રત્યે આપણી કર્તવ્યનિષ્ઠા પ્રસ્તુત કરતા રહીએ.
આ તકે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. નાં અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવલે અને એમની ટીમ હાજર રહી હતી. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આવા ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું .


