




ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો નીમાબેન આચાર્યે ચૈત્રી નવરાત્રીના અષ્ટમીના પાવન દિવસે ગાયત્રી શક્તિપીઠ, ગાંધીધામ મધ્યે ગાયત્રી યજ્ઞમાં હાજરી આપી, યજ્ઞનો લાભ લઈને પ.પુ.ગુરુદેવ તથા ગાયત્રી માતાના આશિર્વાદ મેળવ્યા હતા અને કચ્છના લોકો તેમજ સર્વ સમાજનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી જનસુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે વિકાસકામો બાબતે ચર્ચા કરી હતી.
