


રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને વડોદરા એરપોર્ટ ખાતે વિદાયમાન આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, મેયરશ્રી કેયુર રોકડીયા, વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી ડૉ શમશેર સિંઘ, કલેકટરશ્રી અતુલ ગોર પણ જોડાયા હતા. રાષ્ટ્રપતિશ્રી વડોદરા એરપોર્ટથી દ્વારકા જવા રવાના થયા હતા.

