

રિપોર્ટ:- બીના પટેલ
રામનવમી ના પાવન અવસરે બોરસદ ખાતે વિશ્વ્ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી ભાવભેર કરાઈ હતી.સમગ્ર માહોલ ભગવામય બની ગયો હતો. રામજી કી સવારી માં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ જી, વિશ્વ્ હિંદુ પરિષદ ના રાજેશભાઈ પટેલ,આણંદ જિલ્લા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મોભી મુરબ્બી શ્રી હરેશભાઇ શાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે બોરસદ તાલુકા ના સર્વે સનાતની હિન્દુ ઓ બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો સહિત ના લોકોએ જહેમત ઉપાડી હતી….
