




ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો નિમાબેન આચાર્યએ આજરોજ પરમ પૂજ્ય પ્રેરણા પીઠાધીશ્વર જગદગુરુ સંતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ ના સાનિધ્યમાં તથા શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામના ગાદીપતિ પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી જયરામહરિજી મહારાજની નિશ્રામાં નખત્રાણા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સંતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા શ્રી નૂતન ઉમા અતિથી ભવન લોકાર્પણ સમારોહમાં હાજર રહી ધર્મસભામાં પ્રેરણાદાયક પ્રવચન કર્યું તેમજ હાજર તમામ સંતશ્રીઓના આશીર્વાદ મેળવ્યા.
